Wednesday, December 16, 2009

લઘુ કાવ્યો

"ખાધું, પીધું, અને રાજ કર્યું"

એક આશાવાદીને,
વીજળીના તાર પર બેસીને
સંવનન કરતાં બે પારેવાંને જોઈને
આવેલો વિચાર ...


---

જો
અંતરમાં એકાદી તરજ ગૂંજશે
તો,
અને ત્યારે જ,
એ સંગીન સત્ય સમજાશે
કે
જિંદગી એક મહેરબાન મહેફિલ છે ...


---

વર્ષોથી ઊંડે દટાઈ રહેલા પથ્થરો
તરસના સોસથી
સહેજે પીડાય નહીં
એની ચિંતા
વાદળને અને ધરતીને.
હંમેશ.
એટલે જ વાદળને વરસવાની
અને ધરતીને શોષવાની આદત પડી ગઈ છે ...


-- ચંદ્રેશ ઠાકોર

No comments:

Post a Comment