Tuesday, May 25, 2010

વસંતટહુકો

પિંજરમાં કેદ થયેલું પંખી
અકળાય છે જરૂર.
પણ
પંખી ધરબાઈ જતું નથી
એ અકળામણથી.

એ તો
રહે છે ટહુકતું
અકળામણને ખંખેરી નાંખીને.

એ જાણે છે
પિંજર અટકાવી નહીં શકે
વસંતબહારને ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

No comments:

Post a Comment