Friday, July 31, 2009

કારણ

તારાથી વિખૂટો પડું છું ત્યારે
હું
આંખ બંધ કરું,
તું બંધ આંખે તાદ્રશ થાય
અને, એમ
તારો વિયોગ સહ્ય બને.

મૃત્યુના આગમન સમયે
જો હું આંખ મીંચીશ, તો
બસ,
માત્ર એ એક જ કારણે !

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

2 comments:

  1. મૃત્યુના આગમન સમયે
    જો હું આંખ મીંચીશ, તો
    બસ,
    માત્ર એ એક જ કારણે !

    goood one.

    ReplyDelete