Monday, June 29, 2009

સુપાત્ર

વિચાર આવ્યો: અળસિયાને અચકન પહેરાવી હોય તો? તો એ સોહામણો લાગે? સોહામણો લાગશે તો એ સુરવાળનો ધખારો કરશે. અને પછી સાફાનો. વળી મોજડી પણ માંગશે. અને એ રૂપાળી પ્રતિભા ઉપર મ્હોર મારવા અરીસો માંગશે.

પણ્, પોતાનું પ્રતિબિંબ જોવા એ ટટ્ટાર ઊભો રહી શકશે ખરો? એ અચકન પગ પેદા કરી શકશે? કરોડરજ્જુમાં જોમ રેડી શકશે? ... એમ કંઇ ફરક પડવાનો ના હોય, તો છોડો એ ઝંઝટ. એને ધૂળમાં આળોટવા દો. માટીને ખૂંદવામાં મશગૂલ રહેવા દો ...

અચકનને ઊંચી મૂકી દો. કોઇ યોગ્ય પાત્ર માટે.

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

No comments:

Post a Comment